Gujarati News

Gujarati News

News of Friday, 13th November 2020

નાંદોદના માંગરોલ ગામની નર્મદા નદીના પાણીમાં આકસ્મિક રીતે પડી ગયેલી 7 વર્ષની બાળકીનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં રહેતા મનીષભાઈ મુળજીભાઈ તડવીએ આપેલી ફરિયાદ મુજબ તેમની 7 વર્ષની પુત્રી સેજલ પોતાના ધરેથી રમવા માટે ગામની ભાગોળે ગયેલ અને ત્યાંથી રમતી રમતી મંગલકાર મહાદેવ મંદિર પાસે ગયેલ અને ત્યાંથી પગથિયા પાસે આવેલ નર્મદા નદીના ઘાટ પાસે જતા આકસ્મિક રીતે નર્મદા નદીના પાણીમાં પડી જતા ડુબી જવાથી મોત થયું હતું.રાજપીપળા પોલીસે અ. મોત દાખલ કરી છે.

(11:05 pm IST)