Gujarati News

Gujarati News

News of Wednesday, 13th November 2019

અમદાવાદના વટવામાં થયેલ દિનેશ ચૌધરીની હત્યા કેસમાં રાજસ્થાન પોલીસે સોપારી કિલર દયાલસિંહને દબોચી લીધો

વટવા પોલીસે અન્ય બે આરોપી નંદકિશોર શર્મા અને મનીષ શર્માની ધરપકડ કરી

અમદાવાદના વટવામાં કિરાણા સ્ટોર ધરાવતા અને મુળ રાજસ્થાનના દિનેશ ચૌધરીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને હત્યાના કેસમાં  રાજસ્થાનની કોટપુતલી પોલીસે સોપારી કિલર દયાલસિંહની ધરપકડ કરી છે જયારે વટવા પોલીસે અન્ય બે આરોપી નંદકિશોર શર્મા અને મનીષ શર્માની ધરપકડ કરી છે

ગુજરાત પોલીસે દયાલસિંહના કેટલાક સાગરીતોની ધરપકડ કરી હતી જેમને છોડાવવા માટે રુપિયાની જરુર હોવાથી સોપારી લઈને હત્યા કરવાનું શરુ કરી દીધુ હતું.જોકે દિનેશ ચૌધરીને લૂંટવા આવેલો હતો પરંતુ ફાયરિંગમાં તેની હત્યા થઇ હતી

દયાલસિંહ દિનેશની દુકાનમાં પડેલા રુપિયા લૂંટવા માટે આવ્યો હતો જોકે અચાનક ફાયરીંગ થઇ જતા દિનેશનું મોત થયુ હતું જેથી અન્ય લોકોએ દિનેશના ખીસા માંથી 3500 રુપિયા લૂંટી લીધા હતા

(9:37 pm IST)