Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમદાવાદના અડાલજમાં ત્રિમંદિરમાં દાદા ભગવાનની 111મી જન્મજયંતીની ઉજવણી

35 લાખ ચો,ફૂટ જગ્યામાં 'જોવા જેવી દુનિયા ;ની થીમ ઉભી કરાઈ :ભારતના 13 હજાર અને વિદેશના 800થી વધુ લોકોની સેવામાં કાર્યરત

અમદાવાદમાં અડાલજ ખાતેના ત્રિમંદીરમાં દાદા ભગવાનની 111મી જન્મજયંતી નિમિત્તે 35 લાખ ચો. ફુટના વિશાળ વિસ્તારમાં “જોવા જેવી દુનિયા “નામની થીમ ઉભી કરવામાં આવી છે. જેમાં ભારતના લગભગ 13 હજારથી વધુ અને વિદેશના 800 થી વધુ સેવાર્થી દ્વારા સેવા આપવામાં આવશે

      તારીખ 15થી 25 તારીખ સુધી 11 દિવસના આ કાર્યક્રમમાં દાદા ભગવાનનું ચરિત્ર દર્શાવવામાં આવશે. સાથે જ વિજ્ઞાન ઉપરાંત બાળકો માટે રમત અને જ્ઞાનનો ભંડારો રાખવામાં આવશે. આ જન્મજ્યંતિ નિમિતે લગભગ 35 દેશોમાંથી લોકો જોડાશે.

(10:21 pm IST)