Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અમદાવાદના વસ્ત્રાપુરમાં બે મહિલાએ ફેકટરીના માલિક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી

અમદાવાદ:વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી મહિલાએ તેની પડોશમાં રહેતા ફેક્ટરીના માલિક સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બે વર્ષ અગાઉ બનેલા આ બનાવમાં મહિલાએ ગભરાઈ ગઈ હોવાથી તે સમયે ફરિયાદ કરી ન હોવાનું પોલીસને જણાવ્યું હતું.

વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતી ૪૫ વર્ષની આ મહિલાની ફરિયાદ મુજબ બે વર્ષ અગાઊ તે ઘરમાં એકલી હતી. ત્યારે પડોશમાં રહેતો ફેક્ટરીનો માલિક પાણી પીવાને બહાને તેના ઘરે આવ્યો હતો. બાદમાં તેણે તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.

જોકે તે સમયે તે ગભરાયેલી હોવાથી પોલીસ ફરિયાદ કરી ન હતી.

આરોપી પણ ૪૫ વર્ષની ઉંમરનો છે અને ચાંગોદર તથા સુરેન્દ્રનગરમાં ફેક્ટરી ધરાવે છે. વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

 

(4:35 pm IST)