Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

સાસરિયાના ત્રાસથી કંટાળી ઓઢવાની પરિણીતાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી

અમદાવાદ:ઓઢવમાં રહેતી પરણિતાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આ અંગે મૃતકના સાસરીયાઓ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ મહેસાણાના વિજાપુરના રહેવાસી ગિરીશભાઈ પરમારની પુત્રી જીગીશાબહેનના લગ્ન વિજાપુરના લાડોલ ગામના વતની ઈન્દ્રવદન પરમાર સાથે થયા હતા. જીગીશાબહેન પતિ સાથે ઓઢવમાં સફારી હોટેલ પાછળ ચાર માળિયા મકાનમાં રહેતા હતા.

બીજીતરફ સાસરીયાના માનસિક ત્રાસને કારણે જીગીશાબહેન પરેશાન થઈ ગયા હતા. જેને કારણે તેમણે ૧૦ નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

(4:22 pm IST)