Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી એક ધર્મયાત્રા સંપન્ન કરવાનો આનંદ અનુભવ્યો

નર્મદા :નવા વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રથમ મુલાકાતી મહાનુભાવના રૂપમાં દેશના પૂર્વોત્તર સીમાડે આવેલા અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ બ્રિગેડીયર (સેવા નિવૃત્ત) ડૉ. બી.ડી મિશ્રાએ સરદાર વલ્લભભાઇ પટેલના કેવડીયા ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટીની અને તેની સાથે સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ, વોલ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ભૂગર્ભ જળવિદ્યુત મથક, ટેન્ટ સીટી સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

  તેમણે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ગુલાબના પુષ્પો દ્વારા અંજલિ અર્પીને રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી તથા ભાવવિભોરતા સાથે જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતથી એક ધર્મયાત્રા સંપન્ન કરવાનો આનંદ અનુભવું છું.

(10:40 pm IST)