Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

રાજ્યમાં કોરોનાની વિદાયવેળાએ નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 20 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એકપણ મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 10.086 :કુલ 8.15.929 લોકોએ કોરોનાને હરાવ્યો:આજે વધુ 2.85.840 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદ અને વલસાડમાં 6-6 કેસ ,જૂનાગઢમાં 5 કેસ,સુરતમાં 4 કેસ,વડોદરામાં 3 કેસ, ખેડા અને નવસારીમાં 1-1 કેસ કેસ નોંધાયો :હાલમાં 195 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 20 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 20 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.15.929 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.85.840 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.59.98.048 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 195 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 190 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.15.929  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એકપણ  દર્દીનું મૃત્યુ થયું નથી રાજયમાં કુલ મૃત્યુઆંક 10.086 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 26 કેસમાં અમદાવાદ અને વલસાડમાં 6-6 કેસ ,જૂનાગઢમાં 5 કેસ,સુરતમાં 4 કેસ,વડોદરામાં 3 કેસ, ખેડા અને નવસારીમાં 1-1 કેસ કેસ નોંધાયો છે

(8:58 pm IST)