Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

દુર્ગાપુજા તથા દશેરાની ઉજવણી ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં કરી શકાશે

કોવિડ-૧૯ અંગેની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશ: ગૃહ વિભાગ દ્વારા માર્ગદર્શક સૂચના જાહેર

અમદાવાદ : રાજ્યમાં નવરાત્રી, દુર્ગાપુજા અને દશેરાની ઉજવણી અંગે ગૃહ વિભાગના તા.૨૪. ૦૯. ૨૦૨૧ના હુકમથી માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જે અનુસાર દુર્ગાપુજા તથા દશેરાની ઉજવણી ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં કરી શકાશે. દુર્ગાપુજા અને દશેરાની ઉજવણી દરમિયાન કોવિડ-૧૯ અંગેની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે તેમ ગૃહ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

(8:20 pm IST)