Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

શરદ પૂનમના અવસરે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું: દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત

પ્રભુ રણછોડરાયજીને અતિ દુર્લભ રત્નો અને ઝરીજડિત સવા લાખનો મુગટ ચડાવાયો

શરદ પૂનમે  આજે ડાકોરના રણછોડરાયજી મંદિરમાં ભક્તોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળ્યો હતો  હકડેઠઠ ભીડથી ઉભરાયેલા ડાકોરમાં સવારે 5 વાગે મંગળા આરતીથી શરૂ થયેલો દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત જોવા મળ્યો  હતો

  આજે પ્રભુ રણછોડરાયજીને અતિ દુર્લભ રત્નો અને ઝરીજડિત સવા લાખનો મુગટ ચડાવવામાં આવ્યો હતો કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ટેમ્પલ કમિટી સિક્યુરીટી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો..શયનભોગ બાદ ભગવાન રણછોડરાયજીને દૂધપૌઆનો વિશેષ ભોગ ધરાવવામાં આવે છે

(6:10 pm IST)