Gujarati News

Gujarati News

News of Sunday, 13th October 2019

દાંતીવાડાના મારવાડા નજીક ઈંટો ભરેલો ટ્રક પલ્ટી ખાઈ જતા ત્રણ લોકોના કરૂણમોત :એક ગંભીર

મજૂરી અર્થે ઈંટો ભરીને બાંધકામના સ્થળે જતાં પહેલા જ મજૂરોને કાળ ભેટ્યો

દાંતીવાડા નજીક  ઈંટો ભરીને જતી ટ્રક અચાનક પલટી ખાઇ ગઇ હતી.ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિના કરૂણ મોત નિપજ્યા છે. જયારે  એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને આરોગ્ય દ્રારા રાહત-બચાવની કામગીરી હાથ ધરાઇ હતી.

  આ અંગે મળતી વિગત મુજબ બનાસકાંઠા જીલ્લાના દાંતીવાડા તાલુકાના મારવાડા નજીકથી બાંધકામ માટે ઈંટો ભરીને જતી ટ્રક સાથે દુર્ઘટના બની છે. માર્ગ પરિવહન દરમ્યાન ઓવરલોડ જથ્થાને કારણે ટ્રક પલટી મારી જતાં સવાર મુસાફરો હેબતાઇ ગયા હતા ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ દમ તોડ તોડ્યો હતો. આ દરમ્યાન અન્ય એક વ્યક્તિનો બચાવ થયો પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોઇ દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

  સુત્રોએ જણાવ્યુ હતુ કે, મજૂરી અર્થે ઈંટો ભરીને બાંધકામના સ્થળે જતાં પહેલા જ મજૂરોને કાળનો ભેટો થયો હતો. દુર્ઘટનાને પગલે ત્રણેય વ્યક્તિઓના પરિવારજનોને માથે આભ ફાટી પડ્યુ છે. ઘટનાના દ્રશ્યો જોઇ પસાર થતાં વાહનચાલકો ભારે ગમગીની વચ્ચે ચોંકી ઉઠ્યા હતા. બનાવની જાણ થતાં બનાસકાંઠા જીલ્લા પોલીસની ટીમ અને આરોગ્ય શાખા દ્રારા ઘટનાસ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

(9:13 pm IST)