Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સતત ચિંતિતઃ તેઓની સૂચનાથી પંજાબથી ખાસ એનડીઆરએફની ટીમ રાજકોટ-જામનગરની મદદ માટે આવશે

રાજકોટઃ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર, જામનગર શહેર અને જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની પરિસ્થિતિમાં જનજીવન પૂર્વવત કરવા તેમજ પૂરમાં ફસાયેલા લોકોને તમામ મદદ-સહાય પહોંચાડવા કમિશનરશ્રી અને કલેક્ટરશ્રી સાથે વાત કરી જરૂરી સૂચના આપી હતી. આ પૂર ગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ ટુકડીઓ તુરંત રવાના કરવા સંબંધિતોને જરૂરી સૂચનાઓ આપી.

(5:19 pm IST)