Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદને કારણે વલસાડ કૈલાસ રોડ સ્થિત ઔરંગા નદીનો બ્રિજ બંધ કરાયો

અકિલા સાથેની વાતચીતમાં વલસાડ સીટી પીએસઆઇ જે.આઇ. પરમારે જણાવ્યું હતું કે વલસાડ મામલતદારની સૂચના આધારે તકેદારીના પગલા રૂપે તાત્કાલિક કૈલાસ રોડ ઔરંગા નદીનાં પુલ પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી છે.

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઔરંગા નદીનું લેવલ સતત વધી રહ્યું છે. ઔરંગા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વધતા ઔરંગા નદી બે કાંઠે વહી રહી છે. ઔરંગા નદીના વલસાડના કૈલાશ રોડ સ્થિત પુલ ઉપર પાણી ચઢી જવાની શક્યતાને કારણે વહીવટી તંત્ર એક્શનમાં આવી ગયું છે. પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે કૈલાશ રોડ બ્રિજની બંને તરફ પોલીસ ગોઠવી દઈ વાહનોની અવર-જવર બંધ કરાવી દીધી છે.
અકિલા સાથેની વાતચીતમાં વલસાડ સીટી પીએસઆઇ જે.આઇ. પરમારે જણાવ્યું હતું કે વલસાડ મામલતદારની સૂચના આધારે તકેદારીના પગલારૂપે તાત્કાલિક કૈલાસ રોડ ઔરંગા નદીનાં પુલ પર વાહનોની અવર-જવર બંધ કરવામાં આવી છે.

(3:21 pm IST)