Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

કાલોલમાં મકાનનો સ્લેબ ધરાશાયી: પરિવારના સભ્યો દટાયા : માતા-પુત્રીના મોત : બે ઘાયલ

ટીડીઓ, મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા

પંચમહાલ કાલોલમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતા એક પરિવાર દટાયો હતો ગાયત્રી સોસાયટીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં માતા-પુત્રીનાં મોત થયા હતા. જેમાં બે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

    કાલોલના ગાયત્રી સોસાયટીમાં જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી દુર્ઘટના સર્જાતા અફરાતફરી મચી જવા પામી હતી. આ મકાનના સ્લેબમાં એક પરિવાર દટાયો હતો. આ ઘટનાના પગલે તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં ફાયર વિભાગે કાટમાળમાંથી પરિવારને બહાર કાઢ્યો હતો.

   ગાયત્રી સોસાયટીમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનામાં માતા-પુત્રી બેના મોત થયા હતા. જ્યારે બેને ઇજા પહોંચી છે. આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. આ બનાવના પગલે  

   ટીડીઓ, મામલતદાર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.સમગ્ર ઘટનાના પગલે પરિવારના સગા-સંબંધીઓ પણ દોડી આવ્યા હતા

 

 
(10:43 pm IST)