Gujarati News

Gujarati News

News of Friday, 13th September 2019

રાધનપુરનાં કામલપુરમાં ભેલાણ મુદે ધીંગાણું: એકની હત્યાઃ ૭ને ગંભીર ઇજા

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ૧૩: રાધનપુર તાલુકાના કામલપુર ધરવડી ખેતરમાં પશુઓના ભેલાણ બાબતે નિરાશ્રીત ઠાકરો અને માનપુર ગામના શખ્સો વચ્ચે માથાકુટ થવા પામી હતી. તલવાર-ધારીયા જેવા તિક્ષણ હથિયારોનો ઉપયોગ થવા પામ્યો હતો જેમાં કોંગ્રેસના માજી જીલ્લા ડેલીગેટનો ભાઇનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થવા પામ્યું હતું. મૃતકનું નામ જગદિશ ઉફ.ર્ે જગમાલ ખેતાભાઇ નિરાશ્રીત ઠાકોરનું કરૂણ મૃત્યુ થયું છે. જયારે ઇજાગ્રસ્તોમાં (૧) તુલસીભાઇ ઠાકોર (ર) પાંચાભાઇ ઠાકોર (૩) ભીમાજી માનસંગજી (૪) ધનજીભાઇ (પ) હિતેશ તુલસીભાઇ ઠાકોર (૬) ચંદુભાઇ ઠાકોર (૭) વાલીબેન ખેતાભાઇ, લીલાબેન ઠાકરો તમામ નિરાશ્રીત ઠાકોરને ગંભીર ઇજાઓ થવા પામી છે.

(3:46 pm IST)