Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રાધનપુર નજીક કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં

રાધનપુર:રાધનપુરમાં ગત વષેચોમાસામાં આવેલા  પુરમાં નર્મદાની કેનાલો તુટી જવા પામી હતી. આ કેનાલોના રીપેરીગ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી કેનાલોના રીપેરીગ કરવામાં આવ્યા હતા. 
જેમાં રાધનપુર તાલુકાના શેરગઢ ગામ પાસેથી પસાર થતી કેનાલ થોડા સમય પહેલા જ રીપેર કરવામાં આવી હતી. આ કેનાલમાં ગત રોજ પાણી છોડવામાં આવતા કેનાલમાં ગાબડુ પડયુ હતુ. પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા. 

(6:07 pm IST)