Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ત્રીજા માળેથી નીચે પટકાતા અમદાવાદમાં ચાર વર્ષના બાળકનું મોત

અમદાવાદ:નરોડામાં એક પરિવારનો ચાર વર્ષનો બાળક ફ્લેટના ત્રીજા માળની બારીમાંથી નીચે પટકાતા મૃત્યુ પામ્યો હતો. બનાવ વખતે તેના માતાપિતા બહાર હતા અને ઘરમાં દાદી એકલા જ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 આ બનાવની વિગત મુજબ નરોડા હરીદર્શન ચાર રસ્તા નજીક દેવકૃપા ફ્લેટમાં કુંજલભાઈ તેમના પત્ની ચાર વર્ષના પુત્ર આરવ અને માતાપિતા સાથે રહે છે.

 ૧૦ સપ્ટેમ્બરના રોજ કુંજલભાઈ અને તેમના પિતા નોકરી ગયા હતા. જ્યારે કુંજલભાઈના પત્ની તેમના પિયર ગયા હતા. તે સમયે કુંજલભાઈના માતા વર્ષાબહેન અને આરવ ઘરમાં એકલાજ હતા.

 સાંજે સવા ચાર વાગ્યે આરવ બેડરૃમમાં મોબાઈલ લઈને રમતો હતો. જ્યારે તેના દાદી રસોડામાં હતા. પોલીસના જણાવ્યા મુજબ આરવના હાથમાંથી મોબાઈલ પડી જતા તે ત્રીજા માળના ફ્લેટની બારીમાંથી નીચે જોવા જતા નીચે પટકાયો હતો.

(4:51 pm IST)