Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આણંદ તાલુકાના ખાનકૂવામાં અગમ્ય કારણોસર યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી

આણંદ: તાલુકાના ખાનકૂવા ગામે રહેતા મુળ સુરાશામળના વતની જયંતિભાઈ રામાભાઈ ઠાકોરે (ઉ. વ. ૩૦)આજે સવારના સાડા સાતેક વાગ્યા પહેલા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ ભાલેજ પોલીસને થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મરણ જનારની લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પ્રાથમિક તપાસમાં જયંતિભાઈ રાઠોડ માનસિક બીમારીથી પીડાતા હતા જેના કારણે આ અંતિમ પગલું ભર્યું હોય તેમ લાગી રહ્યું છે. 

(6:16 pm IST)