Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

નરોડા હત્યા કેસ પ્રકરણઃ માયાબેન કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિતના દ્વારા ષડયંત્ર રચાયું હતું: પીડીતના વકીલ દ્વારા ખાસ અદાલતમાં રજૂઆત

અમદાવાદના નરોડા ગામ હત્યા કેસ પ્રકરણમાં પીડીતના વકીલ દ્વારા ખાસ અદાલતમાં રજૂઆત કરીને જણાવાયુ હતુ કે, આ હત્યાનો બનાવ બન્યો ત્યારે નરોડામાં માયાબેન કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિતના દ્વારા ષડયંત્ર રચવામાં આવ્યુ હતું, આ ષડયંત્રમાં સામેલ તમામ આરોપીઓ છે, આ આરોપીઓ દ્વારા ઘટના સ્થળે લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આવા આરોપીઓને કડક સજા કરવા પીડીતના વકીલે માંગણી કરી છે. ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ સર્જાયેલ કોમી તોફાનોમાં નરોડા ગામમાં હત્યા કેસ સર્જાયો હતો.

(4:50 pm IST)