Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

વડોદરાથી કરણી સેના જમ્મુ-કાશ્મીર જવા રવાના :લાલચોકમાં ફરકાવશે ત્રિરંગો

ફારૂક અબ્દુલ્લાના પડકારને લઈને દેશભરમાંથી કરણીસેનાના હજારો કાર્યકરો પહોંચશે

વડોદરા :કરણી સેનાના જમ્મુ-કાશ્મીરના અતિસંવેદનશીલ વિસ્તાર લાલચોકમાં તિરંગો ફરકાવશે. આ માટે વડોદરાથી કરણી સેનાના આગેવાનો જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા છે.     અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ પડકાર આપ્યો હતો કે હિંમત હોય તો લાલચોકમાં તિરંગો ફરકાવી બતાવે. ત્યારે આ પડકારને લઈને દેશભરમાંથી કરણીસેનાના હજારો કાર્યકરો લાલચોકમાં તિરંગો ફરકાવવા જમ્મુ-કાશ્મીર જવા રવાના થયા છે.

(9:13 pm IST)