Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ઓબીસીના 27માંથી 15 ટકા માટે ઠાકોર સમાજ પણ મેદાનમાં ઉતરશે :શિલજમાં અનામત ચિંતન શિબિરમાં ચર્ચા -વિચારણા

અમદાવાદના શિલજમાં ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિની ચિંતન શિબિર મળી હતી. જેમાં ઠાકોર સમાજના આગેવાનો સહિત યુવાનો હાજર રહ્યા હતા. 27 ટકામાંથી 15 ટકા અનામતનો લાભ ઠાકોર સમાજને મળે તે માટે ચિંતન શિબિરમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મામલે ઠાકોર સમાજ સરકારને પત્ર લખીને રજૂઆત કરશે. ઠાકોર સમાજે 2007માં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.

 

(9:11 pm IST)