Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

સુરતના સચીનના તળાવમાં ડૂબી જવાથી 14 વર્ષના સગીરનું મોત

સુરતના સચીનના તળાવમાં ડૂબી જવાના પગલે આશાસ્પદ કિશોરનું મોત નીપજયુ છે .પ્રાથમિક વિગત મુજબ સુરતના સચીન ખાતે નવકાર સોસાયટીમાં રહેતો એક ૧૪ વર્ષીય કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતા સરપંચે તુરંત ફાયર વિભાગને જાણ કરી ઘટના સ્થળ તરફ દોટ મુકી હતી. બનાવની વાત આખા સચીનમાં વાયુ વેગે પ્રસરતા લોકટોળા તળાવના કિનારે એકત્રીત થયા હતા

  ઘટનાની જાણ થતાં જ ફાયર લાસ્કરો પણ તળાવના કિનારે દોડી આવ્યા હતા અને તળાવમાં દૂબેલ કિશોરને શોધવા કવાયત હાથ ધરી હતી.ઘટનાના પગલે સચીન ફાયર વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.અંતે ભારે જહેમત બાદ કિશોરના મૃતદેહને તળાવના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

(7:55 pm IST)