Gujarati News

Gujarati News

News of Tuesday, 13th July 2021

પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટે આપ્યા જામીનઃ કાલે છુટશે

રાજકોટઃ પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાને હાઇકોર્ટમાંથી જામીન મંજુર થઇ ગયા છે.  અલ્પેશ કથીરિયા પર એટ્રોસીટીનો કેસ દાખલ થયો હતો, વળી જ્યારે મનપાની ચૂંટણી હતી તે સમયે તેમણે BTP નાં કાર્યકરો સાથે મારામારી કરી હતી. આ મારામારી બાદ BTP નાં કાર્યકરોએ સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી. માર્ચ મહિનામાં થયેલી ફરિયાદ બાદ અલ્પેશ કથીરિયા છેલ્લા ૩ મહિનાથી સુરતની જેલમાં હતા. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, અલ્પેશ કથીરિયા આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ જેલમાંથી છૂટશે.

(3:26 pm IST)