Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

વડોદરા:નર્મદા સિંચાઈ વિભાગમાં નોકરી કરતા 38 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર આપઘાત કરી મોતને વ્હાલું કરતા અરેરાટી

વડોદરા:નર્મદા સિંચાઇ વિભાગમાં કોન્ટ્રાકટ પર ડ્રાયવર તરીકે નોકરી કરતા ૩૮ વર્ષના યુવકે ઘરમાં ઓઢણી વડે ફાંસો  ખાઇને આપઘાત કરી લીધો હતોજો કે આપઘાતનું કારણ હજીસુધી જાણી શકાયુ નથી

સયાજીગંજ પરશુરામના ભઠ્ઠામાં રહેતો ૩૮ વર્ષનો શૈલેષ રમણભાઇ પરમાર ગઇકાલે  વાસણા ગામ દેવનગરમાં રહેતી તેની મમ્મીના ઘરે ગયો હતો. ગતરાત્રે તેના મમ્મી બહાર ગયા હતા. તે સમયે શૈલેષ પરમારે ઘરમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના મમ્મી ઘરે આવ્યા ત્યારે પુત્રને લટકતો જોઇને બૂમાબૂમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા અને શૈલેષને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ સારવાર મળે તે પૂર્વે તેનું મોત નિપજ્યું છે

બનાવની તપાસ કરતા ગોત્રી પોલીસ સ્ટેશનના એએસઆઇ રતિલાલભાઇએ હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, શૈલેષ પરમારના લગ્ન થયા ત્યારથી તે સાસરીમાં ઘરજમાઇ તરીકે રહેતો હતો

(5:54 pm IST)