Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

મણીનગર સ્વામીનારાયણ ગાદીના વારસદાર અને આચાર્યપદે પુરૂષોત્તમપ્રિયદાસજીની નિમણુંક

રાજકોટ, તા. ૧૩ : મણીનગર શ્રી સ્વામીનારાયણ મંદિરના બ્રહ્મમહોલમાં ગુરૂદેવ શ્રી મુકતજીવન સ્વામીબાપાના સદ્દગુરૂ સંતો અને વરિષ્ઠ સંતોની વિશેષ બેઠક મળી હતી. જેમાં શાસ્ત્રી શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીને અમદાવાદ સ્થિત મણીનગરના શ્રી સ્વામીનારાયણ ગાદીના આધ્યાત્મિક વારસદાર અને આચાર્ય શ્રી પુરૂષોત્તમ - પ્રિયદાસજી સ્વામી મહારાજશ્રીના અનુગામી તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.

ગુરૂદેવ શ્રી મુકતજીવન સ્વામીબાપાએ આ લોકમાંથી મનુષ્ય લીલા સંકેલ્યા પહેલા જ પોતાના અનુગામી વારસદાર તરીકે આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રીની સ્વહસ્તે નિમણુંક કરી હતી.

પરંતુ આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજના લાંબા સમયથી ચાલતા નાદુરસ્ત સ્વાસ્થ્યને કારણે તેમના અનુગામી વારસદાર તરીકેની નિમણુંક કરી નથી. આવી પરિસ્થિતિ થાય તો અનુગામી વારસદારની પસંદગી કરવાની પ્રક્રિયા શ્રી મુકતજીવન સ્વામીબાપા સંત - પાર્ષદ મંડળ બંધારણમાં જણાવાયુ છે. તે ન્યાયે તમામ સંતોની સહમતી અને સમર્થન સાથે વરીષ્ઠ સંતોએ સદ્દગુરૂ શાસ્ત્રી શ્રી જીતેન્દ્રીયપ્રિયદાસજી સ્વામીને શ્રી સ્વામીનારાયણ ગાદીના આગામી આધ્યાત્મિક વારસદાર અને આચાર્ય શ્રી પુરૂષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના અનુગામી વારસદાર તરીકે નિમણુંક કરી હોવાનું મણીનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાનની યાદીમાં જણાવાયુ છે.

(3:55 pm IST)