Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રિસાયેલા મેઘરાજાને મનાવવા ખેરાલુના રામપુરમાં ઢુંઢીયા બાવજીની યાત્રા કઢાઈ

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા રિસાયા છે ત્યારે મેઘરાજાને મનાવવા ખેરાલુ તાલુકાના રામપુરા ગામે ઢુંઢીયા બાવજીની યાત્રા કાઢવામાં આવી ટી  ગામની નાની બાળકીઓ દ્વારા ઢુંઢીયા બાવજીની યાત્રા કાઢીને મેઘરાજાને મેઘમહેર કરવા આજીજી કરાઇ હતી ગામની મહિલાઓ દ્વારા ઢુંઢીયા બાવજીને પાણીથી તરબોળ કરીને મેઘરાજાને પધારવા વિનવણી કરાઇ હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યાં પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ હતુ  બીજી તરફ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો છાંટોય પડ્યો નથી અને દુશ્કાળ જેવી પરિસ્થિતી ઉભી થઈ હતી. આમ એક જ રાજ્યમાં પુર અને દુષ્કાળ જેવી પરિસ્થિતી જોવા મળી હતી.

(11:53 pm IST)