Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

પાલનપુરમાં જી.ડી. મોદી કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષય રદ્દ કરાતા વિદ્યાર્થીઓનો હંગામોઃ ખુરશી-ટેબલ અને દરવાજામાં તોડફોડઃ NSUI દ્વારા સૂત્રોચ્ચાર

પાલનપુરઃ પાલનપુરમાં જી. ડી મોદી કૉલેજ સામે વિદ્યાર્થીઓએ તોડફોડ કરી હતી. આંકડાશાસ્ત્ર વિષય રદ થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને વિધાર્થીઓએ ખુરશી, ટેબલ દરવાજાની તોડફોડ કરી હંગામો માચવ્યો હતો. NSUI કોલેજમાં પ્રિન્સિપાલ સહીત વહીવટ કર્તાઓ સામે ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. આકડાશાસ્ત્ર વિષય ફરી લાવવા માટે NSUIએ રજૂઆત કરી હતી પરંતુ કોલેજ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા વિદ્યાર્થીઓએ સ્કૂલ સામે જ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

 આ પાલનપુર જી. ડી મોદી કૉલેજના વિદ્યાર્થીઓએ આંકડા શાસ્ત્ર વિષય ફરી શરૂ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જો કે આ મામલે પ્રિન્સિપાલની ચેમ્બરમા તોડફોડ કરતા મામલો પોલીસ મથક પહોંચ્યો હતો અને પાલનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી.

(6:02 pm IST)