Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

રથયાત્રાની બધી તૈયારી પરિપૂર્ણ કરાઇ : શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ

લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા ઉત્સુક : અમદાવાદમાં જુદા જુદા રૂટ પર ભગવાના સ્વાગત માટે શ્રદ્ધાળુઓ ઉત્સાહિત ૧૯ ગજરાજ, ૧૦૧ ટ્રક, ૩૦ અખાડા અને ૧૮ ભજનમંડળી મુખ્ય આકર્ષણ

અમદાવાદ, તા.૧૩ : લાખો શ્રદ્ધાળુઓ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રયયાત્રા આવતીકાલે શનિવારના દિવસે  ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચે નીકળશે. આ વખતે રથયાત્રામાં સૌપ્રથમવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ભારતીય અખાડા પરિષદના મોટા સંતો-મહંતો અને કુંભમેળાના સાધુ-સંતો હાજરી આપનાર છે. જે બહુ નોંધનીય વાત છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ માટે બનારસ, વૃંદાવન સહિતના પવિત્ર સ્થળોએથી સુંદર અંલકારિક વસ્ત્રો, પાઘડી અને તેને અનુરૂપ વાઘા-વસ્ત્રો અને સાજ શણગાર તૈયાર કરાયા છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સવારે ચાર વાગ્યે મંગળાઆરતી યોજાનાર છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહેશે, જયારે સાત વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે પહિંદવિધિ બાદ તેઓ રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવશે. રથયાત્રાનો આ એક જ દિવસ એવો હોય છે જેમાં ખુદ જગતનો નાથ નગરચર્યાએ નીકળી તેના ભકતોને ઘેરબેઠા દર્શન આપે છે.  ભારતીય લોક સંસ્કૃતિનું રથયાત્રા સર્વોચ્ચ પ્રતીક છે. રથયાત્રાના અગ્રભાગમાં ૧૯ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝંાખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજનમંડળીઓ સાથે ત્રણ બેન્ડબાજાવાળા આકર્ષણનું કેન્દ્ર બનશે. સાધુ-સંતો, શ્રધ્ધાળુ ભકતો સાથે ૧૨૦૦થી ૧૫૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. આ રથયાત્રામાં ભાગ લેવા દેશભરમાંથી ૨૦૦૦થી વધુ સાધુ-સંતો હરિદ્વાર, અયોધ્યા, નાસિક, ઉજ્જૈન, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્ર સહિતના સ્થાનોએથી પધારશે. રથયાત્રાના દિવસે તા.૧૪મી જૂલાઇએ વહેલી સવારે ૪-૦૦ વાગ્યે ભગવાનની મંગળાઆરતી કરાશે, ત્યારબાદ આદિવાસી નૃત્ય અને રાસગરબાનો પરંપરાગત કાર્યક્રમ યોજાશે. એ પછી ભગવાનના આંખે બાંધેલા પાટા ખોલવાની શાસ્ત્રોક્ત વિધિ બાદ ૫-૪૫ કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામને ત્રણેય રથોમાં સવાર કરાશે. સવારે ૭-૦૦ વાગ્યે પહિંદવિધિ બાદ રથયાત્રાનો શુભારંભ થશે. રથયાત્રાના દિવસે વહેલી સવારે ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે, જેમાં પરંપરા મુજબ, ખીચડી, કોળા-ગવારફળીનું શાક અને દહીં હોય છે. રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે. આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે. જેમાં ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્રગીરીજી મહારાજ, જગદ્ગુરુ રામાનંદાચાર્ય એવા હંસદેવાચાર્યજી મહારાજ અને જૂનાગઢના હીરીગીરીજી મહારાજ સહિતના દિગ્ગજ સંતો પધારશે. તો, સાથે સાથે કુંભમેળાના દિવ્ય સાધુ-સંતો અને મહંતો પણ હાજરી આપશે. ભગવાન જગન્નાથના મંદિર જમાલપુર ખાતે છેલ્લા કેટલાક દિવસથી પ્રસાદ માટે મગ અને અન્ય ચીજવસ્તુઓને સાફ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. હવે પ્રસાદ તૈયાર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાીં આવી છે.  પોલીસ તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. જગન્નાથની પ્રતિષ્ઠા સાંજે કરવામાં આવ્યા બાદ રથયાત્રાને લઇને ઉત્સાહ વધી ગયો હતો. આવતીકાલે શહેરના જુદા જુદા માર્ગો ઉપરથી રથયાત્રા પસાર થશે જેમાં સંવેદનશીલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ઐતિહાસિક રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. રથયાત્રા રૂટ ઉપર સુરક્ષા જવાનો પણ ગોઠવાઈ ગયા છે. કોઇપણ અનિચ્છનીય બનાવને ટાળવા તથા રથયાત્રાને શાંતિપૂર્ણ રીતે પસાર કરવા તંત્રએ કમરકસી લીધી છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ  હજારોની સંખ્યામાં પોલીસ જવાનો મોરચા સંભાળી ચુક્યા છે. સમગ્ર યાત્રા દરમિયાન સીસીટીવી, નેત્ર અને કન્ટ્રોલરૂમ મારફતે આખી રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવશે. ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા સાવચેતીના તમામ પગલા લેવાયા છે. આવતીકાલે રથયાત્રા જગન્નાથ મંદિરેથી નીકળીને જમાલપુર ચકલા, વૈશ્ય સભા, ગોળ લીમડા ,આસ્ટોડીયા ચકલા, મદન ગોપાલની હવેલીથી, રાયપુર ચકલા, ખાડિયા ગેટ, ખાડિયા ચાર રસ્તા, પાંચકૂવા, કાલુપુર સર્કલથી કાલુપુર બ્રીજ થઈને સરસપુર જશે. સરસપુરમાં વિરામ બાદ કાલુપુર બ્રીજ, કાલુપુર સર્કલ, પ્રેમ દરવાજા, જોર્ડન રોડ, દિલ્હી દરવાજા, હલીમની ખડકી, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, ઘીકાંટા રોડ, પાનકોર નાકા, માણેકચોક થઈને ગોળ લીમડા, ખમાસા થઈને નીજ મંદિરે પાછી ફરશે. નિજમંદિર પરત ફર્યા બાદ જ તંત્રને રાહત થશે.રથયાત્રામાં હાથી, ટ્રકો, જુદા જુદા શણગારેલા રથ હશે જેના મારફતે લોકોને જુદા જુદા વિસ્તારોમાં પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે. તમામ માર્ગો પર મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શન કરવા માટે જમા થનાર છે.

મુખ્યપ્રધાન પહિંદવિધિ કરાવી પ્રસ્થાન કરાવશે

સવારે સાત વાગ્યા પહિંદવિધી કરાશે

         અમદાવાદ,તા. ૧૩ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન ભાઇ પટેલના હસ્તે પહિંદવિધી કરવામાં આવનાર છે. પહિંદવિધી બાદ તેઓ રથ ખેંચીને રથયાત્રાનુ પ્રસ્થાન કરાવશે. આવતીકાલે વહેલી પરોઢે મંગળા આરતીમાં ભાજપ પ્રમુખ અમિત શાહ ખાસ હાજરી આપનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલિન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઘણા વર્ષ સુધી રથયાત્રાને પરંપરાગતરીતે શરૂ કરાવી હતી. મુખ્યપ્રધાન રૂપાણીની સાથે આવતીકાલે સવારે પહિંદવિધિ વેળા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો રહે તેવી શક્યતા છે. જામાલપુર મંદિર ખાતે પણ અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા મળી રહ્યો છે. ભગવાનના દર્શન કરવા માટે આવતીકાલે સવારથી જ લોકોમાં અનેરો ઉત્સાહ રહેશે.

રથયાત્રાનુ આકર્ષક શુ

૩૦૦૦૦ કિલો મગનો પ્રસાદ

         અમદાવાદ, તા.૧૩ : રથયાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે મોટા પ્રમાણમાં પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. રથયાત્રાને ભવ્ય બનાવવા તમામ આયોજન કરાયું છે.  દર વર્ષની જેમ આ વખતે પણ શ્રદ્ધાળુઓ ભાગવાનના દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે. રથયાત્રા વેળા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરુપે  રથયાત્રા દરમ્યાન ૩૦ હજાર કિલોથી વધુ મગ, ૫૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરાશે. આ વખતની રથયાત્રામાં સૌપ્રથમવાર ભારતીય અખાડા પરિષદના સાધુ સંતો અને મહંતો ખાસ હાજરી આપશે.અમદાવાદ શહેરની રથયાત્રા દર વર્ષે ઐતિહાસિક રહે છે. રથયાત્રાનુ મુખ્ય આકર્ષણ નીચે મુજબ છે.

શણગારેલા ગજરાજ.......................................... ૧૯

અખાડાઓ......................................................... ૩૦

ભજન મંડળીઓ................................................ ૧૮

બેન્ડબાજા......................................................... ૦૩

સંસ્કૃતિની ઝાંકી કરાવતી ટ્રક............................ ૧૦૧

મગનો પ્રસાદ................................... ૩૦,૦૦૦ કિલો

જાંબુ પ્રસાદ............................................ ૫૦૦ કિલો

કેરી પ્રસાદ............................................. ૩૦૦ કિલો

કાકડી પ્રસાદ.......................................... ૪૦૦ કિલો

મંગળા આરતી થશે........................ સવારે ચાર વાગે

પહિંદવિધિ થશે............................. સવારે સાત વાગે

જગન્નાથની રથયાત્રાનો ૧૮ કિમી લાંબો રૂટ....

૮.૩૦ વાગે નિજમંદિરમાં પરત

         અમદાવાદ, તા. ૧૩ : ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાનો સમગ્ર રૂટ ૧૮ કિ.મી જેટલો લાંબો હોય છે.

*      ૧૪મીએ સવારે જગન્નાથ મંદિર,જમાલપુરથી સવારે ૭-૦૦ વાગ્યે રથયાત્રાનો શુભારંભ

*      ૯-૦૦ વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશન

*      ૯-૪૫ વાગ્યે રાયપુર ચકલા

*      ૧૦-૩૦ વાગ્યે ખાડિયા ચાર રસ્તા

*      ૧૧-૧૫ કાલુપુર સર્કલ

*      ૧૨-૦૦ સરસપુર

*      ૧-૩૦ સરસપુરથી રથયાત્રા પરત ફરશે

*      ૨-૦૦ વાગ્યે કાલુપુર સર્કલ

*      ૨-૩૦ પ્રેમદરવાજા

*      ૩-૧૫એ દિલ્હી ચકલા,

*      ૩-૪૫ શાહપુર દરવાજા

*      ૪-૩૦ આર.સી.હાઇસ્કૂલ

*      ૫-૦૦ વાગ્યે ઘીકાંટા

*      ૫-૪૫ પાનકોરનાકા

*      ૬-૩૦ માણેકચોક

*      ૮-૩૦એ નિજમંદિરે પરત ફરશે

રથયાત્રાને લઇ ભારે ઉત્સાહ

ભગવાનના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સુક

        અમદાવાદ,તા. ૧૩ : અભૂતપૂર્વ ઉત્સાહ અને સઘન સુરક્ષા વ્યવસ્થા આવતીકાલે અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળવાની છે. રથયાત્રામાં લાખો લોકો જોડાવવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે. જુદા જુદા અખાડાઓ છેલ્લા ઘણા દિવસથી તેમની તૈયારીમાં લાગેલા હતા. ઐતિહાસિક જમાલપુર મંદિર ખાતે બિરાજમાન જગન્નાથજી તેમના ભાઇ બલભ્રદ્ધ અને બહેન સુભદ્રાની સાથે શહેરીજનોને મળવા માટે પરંપરાગત રીતે એક દિવસની યાત્રાએ નિકળનાર છે.

*    રથયાત્રાને લઇને સમગ્ર અમદાવાદ છાવણીમાં ફેરવી દેવાયું

*    રથયાત્રામાં ૧૯ ગજરાજ  સંપૂર્ણપણે શૃણગારીને ઉતારવામા ંઆવનાર છે

*    ભારતીય સંસ્કૃતિની ઝાંકી કરાવતી ૧૦૧ ટ્રક અને ૩૦ અખાડા રથયાત્રામાં મુખ્ય આકર્ષણ જમાવશે

*    મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ પરંપરાગત રીતે પહીંદવિધી કરાવીને રથયાત્રાની શરૂઆત કરાવશે

*    રથયાત્રા પર ડ્રોન મારફતે પણ ચાંપતી નજર રાખવા તંત્ર સજ્જ બન્યુ છે

*    રથયાત્રા રૂટ ઉપર તમામ જગ્યાએ  સીસીટીવી કેમેરાથી પણ લોકોની અવરજવર પર નજર રાખવામાં આવનાર છે

*    મુખ્ય કંટ્રોલરૂમની વીડિયો દિવાલ ઉપર આ કેમેરાના લાઈવફીડ જોઈ શકાશે

*    રથયાત્રા કોઈપણ જગ્યાએથી ક્યાં પહોંચી છે તે અંગે જાણવા પીસીઆર વાન રહેશે

*    દરેક ૧૦ ટ્રક બાદ એક વાન ગોઠવાશે

*    જીપીએસ સિસ્ટમથી નિયમિત આધારે એસએમએસથી અધિકારીઓને સંપર્કમાં રખાશે

*    અમદાવાદ રથયાત્રાને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે

*    રથયાત્રાને શાંતિપૂર્ણરીતે પાર પાડવા માટે હજારો સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે

*    રથયાત્રા માર્ગો અને મંદિરની આસપાસ સુરક્ષા જવાનો પહેલાથી મોરચા સંભાળી ચુક્યા છે

*    પોલીસ દ્વારા પહેલાથી કોમ્બિંગ અને પેટ્રોલિંગની પ્રક્રિયાને વધારે તીવ્ર બનાવી દેવામાં આવી

*    હજારો લોકોને રાજ્યભરમાં પહેલાથી જ અટકાયતમાં લેવામાં આવ્યા છે

*    રાજ્યમાં કુલ ૧૬૪ સ્થળથી રથયાત્રા નિકળનાર છે

*    ૩૦૦૦૦ કિલો મગ પ્રસાદ શ્રદ્ધાળુઓ માટે રહેશે

*    ૫૦૦ કિલો જાબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને બદામ  પ્રસાદ રહેશે

*    બે લાખ ઉર્પણા પ્રસાદમાં વિતરણ કરવામાં આવનાર છે

*    રથયાત્રા નિકળતા પહેલા સવારે ચાર વાગે મંગળા આરતી કરવામાં આવનાર છે

*    ભાજપ પ્રમુખ અમિત શાહ મંગળા આરતીમાં ખાસ હાજરી આપશે

(12:34 pm IST)