Gujarati News

Gujarati News

News of Sunday, 13th June 2021

ધર્મને રાજકારણથી દૂર રાખવું જોઈએ: ખોડલધામમાં પાટીદારોની મિટિંગ મામલે દિલીપ સંઘાણીનું મોટું નિવેદન

મુખ્યમંત્રી કોણ બનશે તે પાર્ટી નક્કી કરશે. વહીવટી પ્રક્રીયા મામલે અન્ય સમાજમાં નારાજગી છે

અમદાવાદ : પાટીદારોની ખોડલધામ ખાતે બેઠક બાદ ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે  રાજકારણને ધર્મથી દૂર રાખવું જોઈએ. ખોડલધામ લેઉવા પાટીદાર સમાજના ઉત્થાન માટે સ્થપાયું છે.

 નરેશ પટેલે પાટીદાર નેતા મુખ્યમંત્રી બને તેવું નિવેદન આપ્યું હતું. હવે દિલીપ સંઘાણીએ જણાવ્યું કે મુખ્યમંત્રી કોણ બનશે તે પાર્ટી નક્કી કરશે. વહીવટી પ્રક્રીયા મામલે અન્ય સમાજમાં નારાજગી છે. પાટીદાર સમાજના મુખ્યમંત્રી સૌને સાથે રાખનારો હોય તો જરૂર ગૌરવ થાય.

(5:41 pm IST)