Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

શેત્રુજી નદીમાં 50 કરતા વધુ ઘેટાં ફસાયા :જેસર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડ્યો

ઘેટાને નદીના કાદવમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ

 

જેસરના મૂડકીધાર ગામ નજીક શેત્રુજી નદીમાં 50 કરતા વધુ ઘેટાં ફસાયા છે. માલધારીઓ ઘાસચારા માટે નદી પટમાં ચરાવવા માટે ગયો હતો. પરત ફરતી વેળાએ થોડા ઘેટાં બહાર નીકળી ગયા જ્યારે થોડા ઘેટાં નદીમાં કાદવમાં ફસાયા છે.

  કાદવમાંથી ઘેટાને બહાર કાઢવા મુશ્કેલ જણાતા  માલધારીઓ દ્વારા તંત્રને જાણ કરતા જેસર મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘેટાને નદીના કાદવમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે

(11:14 pm IST)