Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

અમદાવાદમાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં કમકમાટી ભર્યા મોત

અમદાવાદ: અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવમાં હેલ્મેટ સર્કલ અને બાપુનગરમાં મ્યુનિ.ની બસે ટક્કર મારતા બે જણાના મોત થયા હતા. જ્યારે અસલાલીમાં કારએ અડફેટે લેતા એક બાઈકચાલક મોતને ભેટયો હતો. પ્રથમ બનાવની વિગત મુજબ દરિયાપુરમાં કડીયાનાકા મોટીપોળમાં રહેતો પવન વિનોદચંદ્ર પ્રજાપતિ (૨૯) એસ.જી હાઈવે પર એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. ૧૧ જુનના રોજ તે કંપનીના કામથી પ્સર બાઈક લઈને વિજય ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન પુરપાટ ઝડપે જઈ રહેલી રૃટ નંબર ૫૨ ની એએમટીએસ બસે બાઈકને પાછળથી ટક્કર મારતા પવનના માથામાં અને શરીર પર ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતુ. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:01 pm IST)