Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજપીપળા તાલુકા પંચાયત અધિક નિવૃત ઈજનેર રાજુ ભાઈ ભટ્ટનું હૃદયરોગના હુમલામાં દુઃખદ નિધન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા તાલુકા પંચાયતના અધિક ઈજનેર અને ટૂંક સમય પહેલાજ નિવૃત્ત થયેલા રાજુભાઇ ભટ્ટ નું ગુરુવારે બપોરે હ્રદયરોગના હુમલામાં દુઃખદ નિધન થતા તેમના પરિવારજનો અને પંચાયત વર્તુળમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે.
 અત્રે ઉલ્લેખનીય છે કે 400 વર્ષ જુના પૌરાણિક રાજપીપળાના હરસિધ્ધિ માતાજીના મંદિરનું નવીનીકરણ રાજુભાઇ ભટ્ટના કાર્યકાળ દરમિયાન થયું હતું ત્યારે આજે અચાનક તેમની ચીર વિદાય થતા રાજપીપળા પંથકમાં ઘેરો શોક જોવા મળ્યો હતો.

(10:39 pm IST)