Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં આજે 3 દર્દીઓ સાથે છેલ્લા ત્રણ દિવસમાં કુલ 14 દર્દીઓના મોત થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના કાર્યકર ગુંજનભાઈ મલાવીયાના જણાવ્યા મુજબ કોવિડ હોસ્પિટલમાં આજે સાંજ સુધીમાં કુલ ત્રણ દર્દીઓના મોત થયા હોય છેલ્લા ત્રણ દિવસમાં કોવિડમાં કુલ 14 દર્દીઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

 રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં ખાસ કોઈ ઘટાડો જોવા મળ્યો નથી જેમાં મૃત્યુ આંક પણ ખાસ ઘટ્યો નથી પરંતુ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ પૈકી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ વધુ મરી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. એપ્રિલ મહિનાથી આજદિન સુધીમાં કુલ 180 જેટલા દર્દીના કોવિડમાં મોત થયા છે અને આ તમામ મૃતકો ની અંતિમ- ક્રિયા રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા કરવામાં આવી છે તેમ વૈષ્ણવ વણિક સમાજના સદસ્ય ગુંજનભાઈ મલાવીયા એ જણાવ્યું હતું.

(10:38 pm IST)