Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમદાવાદના ઇસનપુરમાં કોરોના પોઝિટિવ કેસમાં ભરખમ વધારો:એક જ પરિવારના આંઠ લોકો પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો

અમદાવાદ:શહેરના ઇસનપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. ઈસનપુરના ગોવિંદવાળી વિસ્તારમાં આવેલી ટેનામેન્ટની સૌજન્ય સોસાયટીમાં રહેતા એક પરિવારના આઠ લોકો કોરોના પોઝિટિવ થતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

મળતી માટી મુજબ ઇસનપુર વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો સો થી પણ ઉપર પહોંચી ગયો છે ત્યારે ગોવિંદવાડીમાં આવેલી સોસાયટીમાં એક પરિવારના આઠ લોકો પોઝિટિવ થતા તેમને સારવાર માટે પણ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડવું પડ્યું છે. સિવિલ કે એસવીપીમાં જગ્યા હોવાથી સારવાર માટે મનાઈ કરાઈ છે.

(6:04 pm IST)