Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

ડીએપી ખતરામાં ઓછા વજનની ફરિયાદ બાદ જીએસએફસીએ કહ્યું ભેજનું પ્રમાણ ઘટવાને હોઈ શકે જરૂરી તત્વોમાં ફેરફાર નથી.

૫૦ કિલો ડીએપી ની બેગમાં ૧૦૦ થી ૧૫૦ ગ્રામ વજનનો ઘટાડો ભેજ ઉડવાનાં કારણે આવી શકે

અમદાવાદ :જી.એસ.એફ.સી-૫૭ વર્ષ જુની કંપની છે અને આજદિન સુધી કંપની દ્વારા ઉત્પાદિત ખાતરમાં ઘટની ફરીયાદ આવેલ નથી. કંપની તમામ કામગીરી ખેડૂતલક્ષી કરે છે અને કોઈપણ બાબતની ગેરરીતી આચરવાનો ઈરાદો હોઈ ના શકે.

કંપનીના ડી.એ.પી ખાતરની થેલીઓમાં ઓછા વજનની બાબત સામે આવી છે, તે મોટા ભાગે તેમા રહેલા ભેજનું પ્રમાણ ધટવાને કારણે હોઈ શકે. ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડરનાં (એફ્સીઓ) ધારાધોરણ મુજબ ડીએપી  ખાતરમાં  મહત્તમ ૨.૫ ટકા ભેજનું પ્રમાણ થઈ શકે આ ભેજ હવામાનના તાપમાનમાં થતા ફેરફારથી ખાતરના સ્થળાંતર દરમ્યાન ઘટે છે. અમારી ગણત્રી મુજબ ૫૦ કિલો ડીએપી ની બેગમાં ૧૦૦ થી ૧૫૦ ગ્રામ વજનનો ઘટાડો ભેજ ઉડવાનાં કારણે આવી શકે. આમ થવા છતાં  ડીએપીમાં રહેલ જરૂરી તત્વોનાં પ્રમાણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થતો નથી.

  વજન ઘટની જે કોઈ ખેડૂતભાઈઓની ફરીયાદ આવેલ છે. તેને ચકાસતા પ્રથમ દ્રષ્ટીએ માલુમ પડેલ છે, કે થેલીઓ સાથે કોઈ છેડછાડા કરવામાં આવેલ નથી. અને સરવાળે કોઈ કૌભાંડની શંકા રહેતી નથી

   હાલમાં ખેતી માટે ખાતર વપરાશની સીઝન ન હોવાને કારણે કંપની એ જાન્યુઆરી થી માર્ચ-૨૦૧૯ ના ગાળામાં વેચેલ ડી.એ.પી. કુલ-૮૦,૦૦૦ મેટ્રીક ટનના જથ્થામાંથી વધુમાં વધુ આશરે ૧૦% એટલે કે ૮૦૦૦ મેટ્રીકટન જેટલો જથ્થો ખેડૂત સુધી પહોંચ્યો હશે, જેમાં તમામ થેલીઓની ૩૦૦ ગ્રામ લેખે ઘટ ધ્યાનમાં લેવામાં આવે તો પણ તેની રકમ આશરે રૂ!.૧૬ લાખ ગણી શકાય.

  મહદઅંશે ટેકનીકલ ખામીને કારણે આવુ બન્યુ છે. ભવિષ્યમાં આવું ન બને તે માટે બે ઉચ્ચસ્તરીય કમિટી નિમવામાં આવેલ છે, જે એક અઠવાડીયામાં તેનો રીપોર્ટ રજુ કરશે અને આ બાબતે સુચનો જણાવશે.

  ઓટોમેટીક વજન ચકાસણી વાળા પ્લાંટમાં એક તકેદારી રૂપે રેન્ડમ ચેકીંગ થતુ હતુ તેના બદલે દરેક થેલી નું વજન weigh in motion Technology મારફતે કરવામાં આવશે જે માનવીય ત્રૃટી રહીત હશે. તદઉપરાંત દરેક થેલીનું દરેક સમયે ડીજીટલ પ્રીન્ટ્રીગ મારફતે ભરતીની તારીખ અને સમય જેવી વિગતો છાપવામાં આવેશે જેથી કરીને થેલીઓની ભરતીનો ચોકકસ સમય માલુમ કરી શકાય

   કંપનીએ તમામ રીટેલ આઉટલેટ ઉપર ઈલેકટ્રોનિક વજન કાંટા લગાવ્યા છે અને આ બાબતની સૂચના ડીસ્પલે કરવામાં આવશે જેથી કરી વેચાણ સમયે એક એક થેલીનું વજન કરીને વેચી શકાય. આમ છતા કોઈ વીક્રેતા અથવા ખેડૂત પાસેથી કોઈપણ વજન બાબતેની ફરિયાદ આવે તો કંપની તેને નિયત વજનવાળી થેલીથી બદલી આપવા માંટે બંધાયેલી છે, અને બદલી આપશે.

(8:20 pm IST)