Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અમદાવાદની બે મહિલાઓએ ગર્ભસંસ્કારનું પાલન કરાવતી મોબાઈલ એપ્લીકેશન બનાવી

 અમદાવાદઃ ગર્ભ સંસ્કાર ભારતીય સંસ્કૃતિનું વિસરાઈ રહેલું જ્ઞાન છે. ઈચ્છિત ગુણોવાળા સંતાનની પ્રાપ્તિ માટેનું વિજ્ઞાન એટલે ગર્ભ સંસ્કાર, ગર્ભ સંસ્કારની સાચી સમજ અને અમલ કરવાથી અદ્દભુત ગુણોવાળા સંતાનની પ્રાપ્તિ થઈ શકે  છે. યોગની જેમ ગર્ભસંસ્કારનું જ્ઞાન પણ ભારતની  જ દેન છે. આ વિજ્ઞાનનનો દુનિયામાં ફેલાવો કરવાના શુભ સંકલ્પની મેજેસ્ટીક ગર્ભ સંસ્કારની ટીમ છેલ્લા ૧૦ વર્ષથી પ્રયત્નો કરી રહી છે. આજના ટેકનોલોજીના યુગમાં આ વૈદિક વિજ્ઞાનને ટેકનોલોજીનો જ ઉપયોગ કહીને ઘરે ઘરે પહોંચાડી શકાય એમ છે.

(3:47 pm IST)