Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા બાદ ભારે પથ્થરમારો :એસપી સહીત પાંચ પોલીસ ઓફિસરો ઘાયલ

બંન્ને જૂથો વચ્ચે પથ્થરમારો :ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો

અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામે દલિતોના વરઘોડા વિવાદ થતા ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી. સમાન્ય લગ્નના વરઘોડા બાબતે પથ્થરમારો થયો અને પોલીસ કાફલો સ્થળે પહોંચ્યો હતો. બંન્ને જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થરમારો થયો અને ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો પહોંચ્યો જેમાં અરવલ્લી એસપી સહિત 5 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે

    દલિતના વરઘોડા મુદ્દે થયેલા વિવાદમાં પથ્થરમારો થતા પાંચ જેટલા વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. દલિતોના લગ્નમાં આવેલું બેન્ડ પણ તોડી નખાયું હતું. બીજા રસ્તા પર વરઘોડો જતા અન્ય સમાજની મહિલાઓએ રોડ વચ્ચે ભજન મંડળી શરુ કરી દીઘી હતી. તંગદિલી વચ્ચે પોલીસનો ટોળાને હટાવવાનો પ્રયાસ કરતા પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

(8:34 am IST)