Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

પૂ. મોરારીબાપુના નાનાભાઈ જાનકીદાસ હરીયાણી (ટીકાકાકા)નું દુઃખદ નિધન

હનુમંત સંગીત મહોત્સવ અને અસ્મિતાપર્વ મોકૂફ : કાલે સમાધિવિધિ : કાલે બપોરે બાપુ ચિત્રકુટધામ તલગાજરડા આવશે

રાજકોટ : જાણીતા કથાકાર પૂ. મોરારીબાપુના નાનાભાઈ જાનકીદાસ હરીયાણી (ટીકાકાકા)નું દુઃખદ નિધન થયું છે. એમની સમાધિવિધી આવતીકાલે તા.14-04-19ના રોજ થશે. પુજય મોરારીબાપુ કથા પૂણૅ કરીને આવશે ત્યારે બપોર પછી ચિત્રકુટધામ તલઞાજરડા ખાતે સમાધી અપાશે તેમ જાણવા મળે છે.  

તેમના દુઃખદ અવસાન ના પગલે, સોમવારથી મહુવાના કૈલાસ ગુરૂકુળ ખાતે હનુમંત સંગીત મહોત્સવ અંતર્ગત યોજાનાર અસ્મિતાપર્વના કાર્યક્રમો રદ કરવામાં આવેલ છે તેમ પૂ. મોરારીબાપુ વતી હરિશ્ચંદ્રભાઈ જોશી, વિનોદભાઈ જોશી અને જયદેવભાઈ માંકડની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

(11:40 pm IST)