Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

કપડવંજમાં અગમ્ય કારણોસર આધેડે ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

કપડવંજ: શહેરમાં શાકમાર્કેટ પાછળ આવેલ એક ખેતરમાં રહેતાં કાનજીભાઈ રામાભાઈ પરમાર (ઉં.વ ૫૦) એ ગતરોજ રાત્રિના સમયગાળા દરમિયાન કોઈ કારણોસર ખેતરમાં જ આવેલ લીમડાંના ઝાડ પર લટકી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મરણજનાર ના પુત્ર કનુભાઈ કાનજીભાઈ પરમારે કપડવંજ ટાઉન પોલીસમાં જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને લાશનો કબજો લઈ પીએમ માટે મોકલી હતી. આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે. 

(6:24 pm IST)