Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

ઠાસરાના માસરામાં બે પરિવારોએ અગાઉના ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરતા મામલો બિચક્યો: ત્રણ વ્યક્તિએ મળી 2 શખ્સ પર જીવલેણ હુમલો કરતા પોલીસ ફરિયાદ

ઠાસરા: તાલુકાના માસરામાં રહેતાં બે પરિવાર વચ્ચે થોડા સમય અગાઉ કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જેની રીસ રાખી એક પરિવારના ત્રણ વ્યક્તિઓએ ભેગા મળી બેને મારમારતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

આ અંગે મળતી માહિતી મુજબ ઠાસરા તાલુકાના માસરામાં રહેતાં સામંતભાઈ ચંદુભાઈ ગોહેલ અને સોમાભાઈ શાભયભાઈ ગોહેલ વચ્ચે થોડા દિવસો અગાઉ કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જે તે સમયે સમાધાન થઈ જતાં બધુ બરાબર ચાલી રહ્યું હતું. જો કે અગાઉની બોલાચાલીની રીસ રાખી ગત બુધવારના રોજ સોમાભાઈ શાભયભાઈ ગોહેલ તેમની પત્ની મનુબેન સોમાભાઈ ગોહેલ અને સાળા રામાભાઈ કાન્તિભાઈ પરમાર સાથે એકાએક સામંતભાઈના ઘરે જઈ અપશબ્દો બોલવા લાગ્યાં હતાં. જેથી સામંતભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા સોમાભાઈએ હાથમાની લાકડીથી હુમલો કર્યો હતો. જેથી તેઓ ઈજાગ્રસ્ત બન્યાં હતાં. સામંતભાઈના પત્નિ જશોદાબેન છોડાવવા વચ્ચે પડ્યાં હતાં. ત્યારે સોમાભાઈએ તેમને પણ લાકડી ફટકારી હતી. સાથે આવેલા મનુબેન ગોહેલ અને રામાભાઈ પરમાર પણ સામંતભાઈ અને જશોદાબેનને લાકડીથી તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 

(6:22 pm IST)