Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

સુરતના સરથાણામાં 16 વર્ષીય તરુણીને પ્રેમ જાળમાં ફસાવી નરાધમે વારંવાર દુષ્કર્મ આચરતા અરેરાટી

સુરત:સરથાણા વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય તરુણીને પ્રેમજાળમાં ફસાવી તેને જુદીજુદી જગ્યાએ ફરવા લઈ જઈ બાદમાં ધાક ધધમકી આપી અવારનવાર શરીર સબંધ બાંધનાર ૨૨ વર્ષીય બેકાર યુવાન વિરુદ્ધ સરથાણા પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સરથાણા વિસ્તારમાં રહેતી અને ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય તરુણીને પુણા ગામ શિવદર્શન સોસાયટી ઘર નં. ૨૩૩ માં રહેતા અને હાલ બેકાર ૨૨ વર્ષીય ચિંતન અશોકભાઈ ભડીયાદરાએ ગત ઓક્ટોબર ૨૦૧૮ માં પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ચિંતન તરુણીને જુદી જુદી જગ્યાએ ફરવા લઈ જતો હતો અને ત્યાં જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો.

(5:25 pm IST)