Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

કપડવંજના કેસરપુરામાં સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

કપડવંજ:તાલુકાના કેસરપુરાના યુવાને સગીરા ઉપર દુષ્કર્મ આચર્યાના બનાવ અંગે આંતરસુબા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના કેસરપુરામાં રહેતો અશ્વિન રઈજીભાઈ પરમાર ગત તા. ૧૦--૧૮ની રાત્રે ગામની સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું.

બનાવ અંગે સગીરાના પિતાની ફરિયાદ આધારે આંતરસુબા પોલીસે અશ્વિનભાઈ રઈજીભાઈ પરમાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી અશ્વિનભાઈ પરમારને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા બાદ બિલોદરા જેલમાં મોકલી આપ્યો હતો.

સુરતના મહિધરપુરામાં હીરા દલાલ પાસેથી 48.19 લાખના હીરા લઇ ત્રણ વેપારીએ પેમેન્ટ કરતા ચકચાર

સુરત:મહિધરપુરા પીપળા શેરી ખાતે ઓફિસ ધરાવતા હીરા દલાલ પાસેથી રૃ. ૪૮.૧૯ લાખના તૈયાર હીરા લઈ જઈ ત્રણ વેપારીએ પેમેન્ટ કર્યુ હતું.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં મોટા વરાછા ઉતરાણ પાવર હાઉસની સામે વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટ ડી/૪૦૧ માં રહેતા હીરા દલાલ રાઘવભાઈ સવજીભાઈ ઈટાલીયાની ઓફિસ મહિધરપુરા પીપળા શેરી શુભમ બિલ્ડીંગ ખાતે આવેલી છે.

ગત મીના રોજ ત્રણ હીરા વેપારી દિપકભાઈ વજુભાઈ બોદરા (રહે. ૩૦૨, ગઢપુર ટાઉનશીપ, પાસોદરા, સુરત), ભરતભાઈ જગુભાઈ ગીડા (રહે. દાનેવકૃપા, ગણેશવાડી, શેરી નં., ગેસ ગોડાઉન પાછળ, સાવરકુંડલા, અમરેલી) અનેરાજુભાઈ પુનાભાઈ ભાદાણી (રહે. ૮૦૪/બી, પાલી હિલ એપાર્ટમેન્ટ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત) રૃ. ૪૮,૧૮,૭૩૨ ની કિંમતના ૨૧૮-૦૮ કેરેટના તૈયાર હીરાના પેકેટ લઈ ગયા હતા.

ત્રણેય વેપારીએ હીરા વેચાણનું પેમેન્ટ નહીં કરતા અંગે રાઘવભાઈએ ગતરોજ મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીએસઆઈ એચ.એમ.ગોહિલ કરી રહ્યાં છે.

(6:16 pm IST)