Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

અમદાવાદના વાસણાના મંદિરમાં વેપારીની હત્યા ગેંગવોરના કારણે થયાનું પ્રાથમિક તારણઃ રાજ શેખવા નામના શખ્‍સની શોધખોળ

અમદાવાદઃ અત્રેના વાસણા વિસ્‍તારમાં આવેલ મહાદેવના મંદિરમાં સુરેશ શાહ નામના ટ્રાન્સપોર્ટ વેપારીની ખૂલ્લેઆમ ધોળા દહાડે હત્યા કરીને હત્‍યારાઓ ભાગી છૂટ્યા હતાં. આ હત્‍યા પાછળ ગેંગવોર હોવાનું પ્રાથમિક તારણ નીકળ્યું છે અને તેમાં રાજ શેખવા નામનો શખ્સ સંડોવાયો હોવાની શંકાને આધારે પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

 

બાઈક પર આવેલા ત્રણ હત્યારાઓએ વેપારીને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે કલરકામ કરતા શ્રમિકોએ ત્રણેય આરોપીને ઓળખી કાઢ્યા છે. હત્યા મામલે પોલીસે CCTVનાં આધારે આગળની તપાસ હાથ ધરી શંકાસ્પદ રાજ શેખવાની શોધખોળ હાથ ધરી છે.

હત્યાનો આરોપી રાજ શેખવા અને સુરેશ શાહ વચ્ચે ગેંગવોર ચાલી રહ્યો હતો. ત્યારે હત્યા થયેલ સુરેશ શાહ વિરુદ્ધ 12 વર્ષ પહેલાં ગુનો નોંધાયો હતો. સુરેશે માંડવીની પોળમા એક વ્યક્તિની હત્યા કરી હતી. જેના કેસમાં સુરેશે સજા પણ ભોગવી હતી.

(5:39 pm IST)