Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

વિરમગામ કોંગ્રેસમાં ભડકો : 8 સીટીંગ કાઉન્સિલરો અપક્ષ ઉમેદવારી નોંધાવશે

બે પૂર્વ વિપક્ષી નેતાની ટીકીટ કપાતા મોટાપાયે કકળાટ

અમદાવાદઃ આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કોંગ્રેસમાં ભડકો થયો છે. વિરમગામ કોંગ્રેસના 8 સીટીંગ કાઉન્સિલરોએ બળવો કર્યો છે. બે પૂર્વ વિપક્ષી નેતાની ટીકીટ કપાતા 8 સીટીંગ કાઉન્સિલર અપક્ષ ઉમેદવારી કરશે.

 ધારાસભ્ય લાખા ભરવાડે ટીકીટ કાપી હોવાના આક્ષેપ સાથે તમામ દાવેદારી નોંધાવશે. રણજીતસિંહ ડોડીયા, યાસીન મંડલી, મુસ્તાક ખવડીયા અપક્ષ ઉમેદવારી કરશે. સમદ ખોખર, સરફરાઝ મંડલી, જુબેર શેખ પણ અપક્ષ દાવેદારી નોંધાવશે. નવઘણ ભરવાડ અને મહેશ ઠાકોર પણ આજે અપક્ષ ઉમેદવારી નોંધાવી શકે છે

(11:45 am IST)