Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

અમદાવાદ -પુણેની ત્રણ દીકરીઓ સંયમના પંથે કરશે પ્રયાણ સુરતના વેસુમાં એકસાથે લેશે દીક્ષા

દિક્ષાને ત્રિવેશી દિક્ષા નામ અપાયું :કાલે ત્રણેય મુમુક્ષુનો વર્ષીદાન વરઘોડો નીકળશે

 

અમદાવાદ અને પુણેની ત્રણ દિકરીઓ સાયમન પંથે પ્રયાણ કરશે આગામી 15મી ફેબ્રુઆરીએ સુરતના વેસુ ખાતે એકી સાથે દીક્ષા લેશે. આગામી 15 ફેબ્રુઆરીના રોજ ત્રણેય મુમુક્ષો સંસારનો માર્ગ છોડી સાધુ જીવનની શરૂઆત કરશે.

   ત્રણેય મુમુક્ષોનો સુરતના વેસુ ખાતે વિશાળ પંડાળમાં દિક્ષા કાર્યક્રમ યોજાશે. જેમાં અમદાવાદની 17 વર્ષીય અંજલી કોઠાણી. 18 વર્ષયી આજ્ઞા પટેલ અને પૂનાની 9 વર્ષીય આયુશી દીક્ષા લેશે. દિક્ષાને ત્રિવેશી દિક્ષા નામ આપવામાં આવ્યું છે. આવતી કાલે દિક્ષા પહેલા ત્રણેય મુમુક્ષુનો વર્ષીદાન વરઘોડો નીકળશે.

(10:11 pm IST)