Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સંવિધાન બચાવો, દેશ બચાવો

 સંવિધાન બચાવો, દેશ બચાવોનો અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાઈ ગયો દશાડા લખતરના ધારાસભ્ય અને ચેરમેન અનુસુચિત જાતિ વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નૌશાદભાઈ સોલંકી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પુર્વ કેન્દ્રીય મંત્રી અને સંસદ સભ્ય(રાજય સભા) કુમારી શૈલજાજી, તથા પુર્વ ગૃહ મંત્રી (મહારાષ્ટ્ર સરકાર) તથા ચેરમેન અનુસૂચિત જાતિ વિભાગ, એઆઈસીસી ડો. નિતીન રાઉતજી, તથા, તથા પુર્વ પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સિધ્ધાર્થભાઈ પટેલ, તથા સચિવ એઆઈસીસી જીતેન્દ્ર બધેલજી, તથા રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર, અનુ.જાતી વિભાગ. એઆઈસીસી. રવીન્દ્ર દલવીજી, તથા કોંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેશભાઈ પરમાર, તથા ગઢડા ના ધારાસભ્ય  પ્રવીણભાઈ મારુ તથા કાલાવાડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા, તથા પુર્વ સંસદ સભ્ય રાજુભાઈ પરમાર પુર્વ ચેરપર્સન- એનસીએસકે શ્રીમતી કમલાબેન ગુર્જર, તથા સમગ્ર ગુજરાતભરમાંથી આવેલ આગેવાન શ્રીઓ અને મોટી સંખ્યા માં કાર્યકરો અને એકિટવિસ્ટો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલેજાજી એ અને નીતિન રાવજીએ તથા સિદ્ઘાર્થ ભાઈ અને બીજા અન્ય અગ્રણી નેતાઓએ પ્રેરક પ્રવચનો આપ્યા. ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકીએ મોમેન્ટો આપી આવેલ મહેમાનોનું સ્વાગત કર્યુ.

 

(3:44 pm IST)