Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2021

ગાંધીનગરથી મુખ્યમંત્રી રૂપાણી દ્વારા ‘કરૂણા અભિયાન ૨૦૨૧’નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કરાશે

વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પક્ષીઓની સારવારનું નિરીક્ષણ અને પશુ ચિકિત્સકો સાથે તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરશે

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આજે તા. ૧૩ જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કરૂણા અભિયાન ૨૦૨૧નું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન ગાંધીનગરથી કરવામાં આવશે.

મુખ્યમંત્રી આ પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પક્ષીઓની સારવારનું નિરીક્ષણ અને પશુ ચિકિત્સકો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત કરૂણા અભિયાનમાં સહભાગી વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો સાથે પણ ચર્ચા કરશે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તા. ૧૧ થી ૨૦ જાન્યુઆરી દરમ્યાન રાજ્ય વ્યાપી કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે

(12:46 am IST)