Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

ધાનેરામાં માલગાડી નીચે પડતું મૂકી યુવાને કર્યો આપઘાત : ત્રણ બાળકોએ છત્રછાયા ગુમાવી :માલોત્રામાં અરેરાટી મચી

ધાનેરા તાલુકાના માલોત્રા ગામના રક યુવકે અગમ્ય કારણોસર ગામમાંથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવી દીધું હતું. ત્રણ બાળકો નોંધારા થતાં બનાવના પગલે ગામમાં અરેરાટી મચી ગઇ હતી.

  આ અંગેની વિગત મુજબ માલોત્રા ગામના બેચરાભાઇ સુરતાભાઇ રબારી (ઉં.વ.૩૫) ને બકરાં ચરાવવાનો ધંધો હતો પરંતુ મોંઘવારીમાં કુટુંબનું ભરણપોષણ કરવા બાબતે છેલ્લા ઘણા સમયથી ટેન્શન અને અસ્થિર મગજના કારણે  માલગાડી ટ્રેન રાણીવાડા તરફથી આવતી હોઇ આ ટ્રેન નીચે પડતું મૂકતાં કપાઇ ગયો હોઇ તેની લાશ રેલ્વે સ્ટેશને લાવવામાં આવી હતી

  . આ બાબતે રેલ્વે સ્ટેશન માસ્તરએ  જણાવ્યું કે, પોલીસને જે તે સમયે જાણ કરેલ છતાં ૫:૦૦ વાગ્યા સુધી કોઇ પોલીસ આવી નથી.

    યુવકના આપઘાતને કારણે તેના ત્રણ ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતાં નોંધારા થઇ ગયા હતા. આ બનાવની જાણ માલોત્રા સરપંચ માસુંગભાઇને થતાં તેઓએ ઘટનાસ્થળે આવી પી.એમ. વગેરેની કામગીરી શરૂ કરાવી હતી.

(9:14 pm IST)