Gujarati News

Gujarati News

News of Sunday, 13th January 2019

સુરતમાં ઉત્તરાયણ પર્વમાં તમામ ફલાય ઓવર ઉપર ટુ-વ્હીલર ચાલકોને પ્રવેશ પ્રતિબંધ

         સુરત :  ઉત્તરાયણ પર્વ નિમિતે તા. ૧૪ અને ૧પ ના રોજ  સુરત સિટીના તમામ ફલાયઓવર બ્રીજના બંને ટ્રેક ઉપર ટુ-વ્હીલર વાહન ચાલકોના પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉત્તરાયણ પર્વ સુરતમાં ઉત્સાહભેર મનાવાય છે. હજારોની સંખ્યામાં  પતંગો આકાશમાં ચગાવાય છે.અને કપાયેલા પતંગો અને દોરીઓ પણ ઠેર ઠેર પડતી જોવા મળે છે. પતંગની દોરીને લીધે વાહન ચાલકો અને  રાહદારીઓને ઇજાના બનાવો પણ બને છે.  ખાસ કરીને ફલાય ઓવર બ્રિજ ઉપર દ્વિચક્રીય વાહન ચાલકો માટે પતંગની દોરી જોખમ બની જાય છે.

         આવા વાહન ચાલકોને બ્રિજના નીચેના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. ફલાય ઓવર બ્રિજ પર યેેનકેન રીતે દ્વિચક્રીય વાહન ચાલકો જશે તો શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.

(12:02 pm IST)