Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

ગાંધીનગરના પીએસઆઇએ અગમ્ય કારણોસર ગોળી મારી આત્મહત્યા કરતા સારવાર દરમિયાન મોત

ગાંધીનગર:શહેરમાં એક પોલીસ સબ ઇન્સપેક્ટર દ્વારા અગમ્ય કારણોસર આત્મહત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી અનુસાર, 56 વર્ષિય કે.યુ આહિરે માથે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમને સારવાર અર્થે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.

ગાંધીનગરના એસઆરપી ગ્રુપમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા કે.યુ આહિરે માથે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, રાત્રે ફરજ બજાવી પરત ફરેલ જવાને સેક્ટર-27માં આવેલ પોલીસ આવાસમાં પોતાના ઘરે અગમ્ય કારણોસર ગોળી મારી આત્મહત્યા કરી હતી. 56 વર્ષીય કે.યુ આહિરને તાત્કાલિક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. આહિરે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે વિશે સચોટ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. હાલમાં સમગ્ર ઘટના અંગે સેક્ટર-21 પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:33 pm IST)