Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

બનાસકાંઠાના સુઈગામ પંથકમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ : ખેડૂતોમાં ચિંતાનો માહોલ

દિવેલા,જીરૂ અને રાયડાના પાકને નુકશાન થાય તેવી પૂરેપૂરી સંભાવના

બનાસકાંઠાના સુઈગામ વિસ્તારના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે વરસાદને કારણે દિવેલા,જીરૂ અને રાયડાના પાકને નુકશાન થાય તેવી પૂરેપૂરી સંભાવના છે. પાકને નુકશાન થવાને પરિણામે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

(7:19 pm IST)